ઈકરામ મલેક:રાજપીપળા
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપલાનો કારમાયકલ બ્રિજ ગત એપ્રિલ માસ થી નવીનીકરણ અર્થે બંધ કરાયો હતો, ત્યારે નિયત સમય મર્યાદામાં બ્રિજ ની કામગીરી પૂર્ણ કરવામાં નિષ્ફળ નિવડેલી બિંજલ ગાંધી નામની એજન્સી ની રેઢિયાળ કામગીરી ને કારણે નવરાત્રિ ના તહેવારમા નગર મા ચક્કા જામ ની સ્થિતિ સર્જાઈ હતી.
બીજી તરફ આવેલ શાળા કોલેજો ના સેંકડો વિદ્યાર્થીઓ ને આ કારણે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો, અને રોજિંદી અવર જવર કરતા લોકો ને મોટો ફેરાવો ફરવો પડતો હોય, સમય અને પૈસા નો બગાડ થતા લોકો મા રાજપીપળા પાલિકા અને એજન્સીની રેઢિયાળ કામગીરી સામે રોષ પ્રવર્તી રહ્યો હતો.
ત્યારે દૂરદર્શી ન્યુઝ દ્વારા સમાચાર પ્રકાશિત કરી તંત્ર ને ચેતવ્યું હતું કે દિવાળી પહેલાં જો આ બ્રિજ ચાલુ નહિ કરાય તો નગર મા જડબેસલાક ચક્કાજામ થશે અને ભારે અવ્યવસ્થા સર્જાશે ત્યારે તંત્ર દ્વારા આ અહેવાલ ને ધ્યાને લઈ હાલ અધૂરી કામગીરી વચ્ચે એક તરફ નો માર્ગ નાના વાહનો માટે ખુલ્લો મૂકી દેવાયો હોવાની જાણકારી મળી રહી છે.
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર