Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નિલકંઠ ધામ પોઈચા દ્વારા વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલ્યા

Share to

“પોઈચાના ફૂડ પેકેટ વડોદરના પુર અસરગ્રસ્તોને પહોંચ્યા”

નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને સંસ્થાન દ્વારા રોજિંદા ૨૫૦૦ જેટલાં ફૂડ પેકેડ તૈયાર કરી મોકલવામાં આવી રહ્યાં છે

ોઈચા સ્વામીનારાયણ મંદિરના ૫૦ સેવકો ફૂડ પેકેટ બનાવવાના માનવસેવા સેવા કાર્યમાં જોતરાયા

——-
રાજપીપલા, ગુરૂવાર :- વડોદરામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની પરિસ્થિતિને ધ્યાને લઈને પુર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નિલકંઠધામ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ ફુટ પેકેટ વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની રાહબરીમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઈન્ચાર્જ પુરવઠા અધિકારીશ્રી એન.એફ.વસાવાના સંકલન અને સહકારથી પુરગ્રસ્તોને ફૂડપેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે.

નિલકંઠધામ પોઈચાના સ્વામીશ્રી કૈવલ્યસ્વરૂપ દાસજીના માર્ગદર્શન અને શ્રી ધર્મસંભવદાસ સ્વામીની નિગરાનીમાં સંસ્થાના ૫૦ જેટલાં સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે. માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં છાત્રો પણ સ્વયંભુ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

નર્મદા જિલ્લામાં ભક્તિધામ અને પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલું નિલકંઠધામ જિલ્લામાં કે જિલ્લા બહાર કોઈપણ પ્રકારની આફત આવી પડે ત્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે હર હંમેશ આગળ આવે છે. ત્યારે હાલના સંજોગોમાં વડોદરા શહેરમાં ઉદભવેલી ભારે વરસાદની પરિસ્થિતિમાં નિલકંઠધામ પોઈચા દ્વારા રોજીંદા ૨૫૦૦ જેટલાં ફૂડ પેકેડ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉભા કરાયેલા રાહત સેવા કેન્દ્ર ખાતે નિલકંઠધામ પોઈચા દ્વારા પહોંચતા કરવામાં આવે છે.

નિલકંઠધામ પોઈચાના સાધુ શ્રીજી ચરણદાસજીએ જણાવ્યું કે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજસેવાનું કાર્ય કરી રહ્યું છે. જ્યારે પણ આપત્તિનો સમય આવે ત્યારે સંસ્થા સૌથી પહેલા મદદે પહોંચી જાય છે. ત્યારે વડોદરામાં થયેલી અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે. જેથી નિલકંઠધામ દ્વારા અહીંયા જ ફૂટ પેકેટ બનાવી અને સરકારની વિવિધ સમિતિઓ સાથે મળીને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટેનો પ્રયાસ કર્યો છે. નિલકંઠધામ પોઇચા કેવળ ધાર્મિક નહિં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા તમામ ક્ષેત્રે અગ્રેસર રહી છે. આ સેવા કાર્ય જ્યાં સુધી વહીવટી તંત્રને જરૂર હશે ત્યાં સુધી ચાલુ જ રહેશે તેવી ખાતરી આપી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top