Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

રાષ્ટ્રીય ‘ગ્રામીણ આજીવિકા મિશન’ સ્વ સહાય જૂથની મહિલાઓની ઉપસ્થિતિમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો  

Share to

*પોતાની આત્મશક્તિ દ્વારા પગભર બનવા સાથે પરિવાર, સમાજ, રાજય અને દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કરતા ધારાસભ્યશ્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ*

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોનો ભાગ બનવા આહવાન કરતા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી*
****
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું

*

ભરૂચ – રવિવાર – ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન હોલ, અંકલેશ્વર ખાતે લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા ‘લખપતી દીદી’ કાર્યક્રમમાં, ભરૂચ જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની મહિલાઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દેશની મહિલાઓને સશક્ત કરવા, આત્મનિર્ભર બનાવવા તથા તેમના માટે રોજગારીના સર્જન માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે લખપતિ દીદી અભિયાન હેઠળ અનેક મહિલાઓ આગળ વધી રહી છે તેમણે મહિલાઓને વિવિધ કામમાં સક્ષમ બનવા, પોતાની આત્મશક્તિ દ્વારા પગભર બનવા સાથે પરિવાર, સમાજ, રાજય અને દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રંસગે,ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાનો માનવી કોઇપણ વિકાસથી વંચિત ન રહી જાય તે વડાપ્રધાનશ્રીની નેમ છે, 2024 માં વડાપ્રધાન શ્રીએ દેશની 3 કરોડ બહેનોને લખપતી બનાવાની નેમ લીધી હતી જેને અનુસંધાને મહિલાઓ પગભર બને તે માટે માત્ર આર્થિક નહીં પરંતુ તાલીમ સહિતની તમામ પૂરક સહાય સરકાર દ્વારા આપીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સક્રીય કામગીરી કરવામાં આવી રહી છે. આ નેમ હેઠળ જ વિવિધ વર્ગ તથા વયજુથ માટે વિકાસ યોજનાઓ અમલી કરી છે. જેમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.વડાપ્રધાનશ્રી લખપતિ દીદી, ડ્રોન દીદી, બેંક સખી, કૃષિ સખી, પશુ સખી બનવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે મહિલાઓ પણ ઘરની બહાર કદમ મુકીને પોતાની શક્તિઓનો ઉપયોગ કરી સરકારની યોજનાઓનો લાભ લે તે જરૂરી છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોનો ભાગ બનવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલી સંબોધન કરીને નારીશક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનવા સંદેશ આપ્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નૈતિકાબેન પટેલ અને સ્વ સહાય જૂથોની આશરે 500 જેટલી મહિલાઓએ વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો.
‘લખપતી દીદી’ અભિયાન અંતર્ગત સફળતા મેળવનાર ૫ જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. મહાનુભાવોને હસ્તે સ્ટેજ ઉપર થી ૪૨ લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના વગેરે મળી ૨ કરોડ ૧૨ લાખ સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નમો ડ્રોન દીદી, બેંક સખી તથા પશુ સખીએ પોતાના અનુભવો મહિલાઓને જણાવી પ્રેરણા પૂરી પાડી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નૈતિકા એચ. પટેલે લખપતિ દીદીઓનું ઉદાહણ આપી મહીલાઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વ- સહાય જુથોની બહેનોને જીલ્લામાં આવેલી જીઆઈડીસીમાં કેટરીંગ સર્વિસ માટે સંસ્કાર દીપ ટ્રસ્ટના કેટરીંગ બિઝનેસ સાથે જોડી રોજગારી મેળવવા બહેનોને અનુરોધ કર્યા હતો.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલીકા પ્રમુખ અને અંકલેશ્વર તાલુકા પ્રમુખશ્રી, શ્રી એન. કે. નાવડીયા અને અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના હોદ્દેદારો પધાધિકારોઓ અને સ્વ- સહાય જુથોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top