વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સદસ્યા અભિયાન 2024નો પ્રારંભ થવાનો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ આત્મીય હોલ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા વિભાગના સંયોજક શ્રી મનન દાણી જી, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી જી અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરીયા જી એ આગેવાનો અને કાર્યકરોને સદસ્યતા અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યશાળામાં મારા ઉપરાંત ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવા જી, મહામંત્રી શ્રી વિનોદ પટેલ જી તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભ
ાજપ 18 કરોડ સદસ્યોની સદસ્યતા શૂન્ય કરી ફરી સદસ્યતા અભિયાન શરૂ કરી રહ્યુ છે. ભાજપ દર છ વર્ષે નવા સંગઠનની રચના કરતું આવ્યું છે. ત્યારે આગામી 1 સપ્ટેમ્બર, 2024ના રોજથી સદસ્યતા અભિયાનની શરૂઆત ફરી થશે. કોઈપણ વ્યક્તિ ત્રણ રીતે સદસ્યતા મેળવી શકશે. એક મીસકોલ દ્વારા, બીજું સાર્વજનિક સ્થળે ક્યુ.આર.કોડના માધ્યમથી તેમજ ત્રીજું ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટના માધ્યમથી ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી સદસ્યતા મેળવી શકાશે. ભાજપના કેન્દ્રિય નેતૃત્વ તરફથી ગુજરાતના દરેક બુથ પર 200 સભ્યો બનાવવા લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત ભાજપે આ લક્ષ્યાંકને વધારી 300 સભ્યો બનાવવાનું સૂચન કર્યું છે.
*મનસુખભાઈ વસાવા*
*સાંસદ – ભરૂચ લોકસભા*