Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જુનાગઢ ભેસાણ સહિત જિલ્લા ની 12 સંસ્થાઓમાં સંસ્કૃત સપ્તાહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવશે

Share to

સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
સંસ્કૃત ભારતી, જુનાગઢ અને
શ્રી વલ્લભાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભેસાણ દ્વારા ભેસાણ સહિત જુનાગઢ ની 12 સંસ્થાઓમાં
સંસ્કૃત સપ્તાહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવશે

સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના 37 દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસને સંસ્કૃત દિન તરીકે ઓળખવામાં આવે છે અને તેના ત્રણ દિવસ આગળ અને ત્રણ દિવસ પાછળ એમ કુલ સાત દિવસ સંસ્કૃત સપ્તાહની ઉજવણી ભારત ભરના તમામ જિલ્લાઓમાં કરવામાં આવે છે.આગામી તારીખ 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ નિમિત્તે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી સંસ્કૃત ભારતી,જુનાગઢ અને શ્રી વલ્લભાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ ભેસાણ તથા શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે ભેસાણ સહિત જુનાગઢ જિલ્લાની 12 સંસ્થાઓ જેમ કે માં અમર શૈક્ષણિક સંકુલ-ભેસાણ,માધવ શૈક્ષણિક સંકુલ-ભેસાણ, ડ્રીમલેન્ડ શૈક્ષણિક સંકુલ-ભેસાણ,સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ-બરવાળા, રોયલ સ્કૂલ- ભેસાણ, ભગવતી કન્યા વિદ્યાલય- ભેસાણ, ચણાકા પ્લોટ પે.સેન્ટર-ભેસાણ ,સરકારી વિનયન કોલેજ- ભેસાણ, શ્રી પટેલ કેળવણી મંડળ અપર પ્રાઇમરી ગર્લ્સ સ્કુલ-જુનાગઢ, શ્રીમતી આર. જે. કનેરિયા ગર્લ્સ હાઇસ્કુલ-જૂનાગઢ, ખંભાળિયા પ્રાથમિક શાળા અને અલ્ટ્રા સ્કૂલ-કેશોદ માં સંસ્કૃત સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવશે.
આ સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં 12 સંસ્થાઓના આશરે 6,000 થી વધારે વિદ્યાર્થીઓ અને લોકો સંસ્કૃત અને સંસ્કૃતિથી તેમજ ભારતીય જ્ઞાન પરંપરાથી પરિચિત થશે. આ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગીત ગાન સ્પર્ધા, સંસ્કૃત રેલી, સ્તોત્ર ગાન સ્પર્ધા, શ્લોક ગાન સ્પર્ધા, સંવાદ ,નાટક, કથા કથન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા યોજાશે. તો વળી, દાનીરાઈજી આચાર્ય ગૃહના આચાર્યશ્રી પરમ પૂજ્ય વ્રજેન્દ્રકુમારજી, ડો. મૌલિક કેલૈયા, ડો. પી. વી. બારસીયા, વિશ્વવિખ્યાત કથાકાર વિપુલભાઈ વેગડા આદિ વિવિધ મહાનુભાવોના વક્તવ્યથી ભારતીય જ્ઞાનપરાથી અવગત કરાવવામાં આવશે.
આ સંસ્કૃત સપ્તાહને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો. કિશોરભાઈ શેલડીયા, શ્રી વલ્લભાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી પરસોત્તમભાઈ કોઠીયા તેમજ સંચાલક શ્રી પ્રિતેશભાઈ કોઠીયા, શ્રી સમર્પણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક શ્રી ભાવિનભાઈ ઉસદડ અને આ સંસ્કૃત સપ્તાહને સફળ બનાવવા તમામ સંયોજકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. એવું અખબારી યાદીમાં ડો. કિશોરભાઈ સેલાડીયાએ જણાવ્યું હતું.
ડો. કિશોર શેલડીયા
પ્રાંત પ્રચાર પ્રમુખ
સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top