DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે.        નેત્રંગના રાજા રણછોડરાયે ત્રિરંગાના વસ્ત્ર પરિધાન કયાઁ.

Share to

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા,૧૫-૦૮-૨૪.

૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ને ગુરૂવારના રોજ આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે હર ધર તિરંગા અભિયાન, તિરંગા યાત્રામા નેત્રંગના નગરજનોમા અનેરો ઉત્સાહ ઉમંગની સાથે ૧૫મીના રોજ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા માટે શાળા,કોલેજમા ભણતા વિધાથીઁઓ,નગરજનો વહેલી સવાર થીજ નવા વસ્ત્ર પહેરી સજ્જ થયેલા હોય, જેને લઇને નગરમા તુલસી ફળીયા ખાતે આવેલ રણછોડરાય મંદિરના પુજારી શોભનાબેન ભટ્ટે રાજા રણછોડરાય માટે તિરંગા કલરના સુંદર વાધા (વસ્ત્ર) જાતે બનાવી રાજા રણછોડરાય ને પહેરાવ્યા હતા, જેને લઇ ને ભાવિકભકતજનો દશઁન માટે ઉમટી પડયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to