Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

Share to

રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન, કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર અને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદી દિવસની ઉજવણી કરાઈ

માં ખોડલને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો


આજરોજ દેશભરમાં ૭૮ મા સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રને સમર્પિત એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના મુખ્ય કાર્યાલય એટલે કે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે તથા કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિર ખાતે અને વેરાવળ સોમનાથ સ્થિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૧૫ મી

ઓગસ્ટના દિવસે રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સવારે ૮ કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની એડવાઈઝરી કમિટીના સભ્ય રમેશભાઈ પટેલ અને નારણભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ, વિવિધ સમિતિઓના સભ્યો, ફેકલ્ટીશ્રીઓ, સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા પર્વે મા ખોડલને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, વિશ્વનું સૌપ્રથમ એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન માં ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા. માં ખોડલને કેસરી, સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે જ માં ખોડલની મૂર્તિ પાસે થતાં ફૂલોના શણગારમાં ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો હતો. સવારથી જ ભક્તો માં ખોડલના આ વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લીધો હતો. ૭૮ મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે સવારે શ્રી ખોડલધામ મંદિર ખાતે મંદિરના સ્ટાફગણ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આજ રીતે વેરાવળ સોમનાથ થી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત શ્રી લેવા પટેલ સમાજ અતિથિ ભવન ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ટ્રસ્ટીશ્રીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top