હર ઘર તિરંગા અભિયાન : નર્મદા જિલ્લો
રાજપીપલા, બુધવાર :- દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આહ્વાન કર્યું છે. ત્યારે સમગ્ર રાજય સહિત નર્મદા જિલ્લામાં પણ આ અભિયાન વેગવંતુ બન્યું છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બુધવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં પોલીસના જવાનો શિસ્તબદ્ધ રીતે હાથમાં તિરંગો લઈને નગરના માર્ગો ઉપરથી પસાર થતાં અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રામાં પોલીસ જવાનો સાથે અન્ય અધિકારીશ્રીઓ /કર્મચારીશ્રીઓ સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા સભ્યો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર