માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #HarGharTiranga અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો સાથે તિરંગાનું ગૌરવગાન કરતી આ યાત્રામાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં એકતા અને રાષ્ટ્રભાવનું જોમ વધાર્યું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે #HarGharTiranga અભિયાનને યુવાઓમાં ઊર્જાના સંચાર સાથે વિકસિત ભારતના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે આજની તિરંગા યાત્રામાં લોકોના ઉત્સાહ અને દેશપ્રેમની લાગણીને બિરદાવતાં માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલ ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર ખાદી’નાં સૂત્રોને ચરિતાર્થ કરવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત દેશની આઝાદીનું ગૌરવગાન કરતા આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવાનું આહવાન કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીના નેતૃત્વમાં #HarGharTiranga અભિયાન દ્વારા આપણે ‘Nation First’ની ભાવના જન-જનમાં જગાવવાની છે તથા આ તિરંગા યાત્રા દ્વારા દેશને વિકાસપથ પર વધુ આગળ લઈ જવા માટે કટિબદ્ધ થવાનું છે.
#HarGharTirangaGuj
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા