Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નેત્રંગના ફુલવાડી ગામે વીજકંપનીનું સબસ્ટેશન બનાવાનો વિવાદ ચરમસીમાએ

Share to

* ગ્રામ.પંચાયતમાં ખોટા ઠરાવો કરીને જમીનને ફાળવણી કરાઇ છે : ધારાસભ્ય ચૈતર વસાવા

* ચૈતર વસાવા ડેડીયાપાડાના મતદારોની ચિંતા કરે,ઝઘડીયાની ચિંતા કરવા માટે હું બેઠો છું : ધારાસભ્ય રિતેશભાઇ વસાવા

* ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

તા.૦૮-૦૮-૨૦૨૪ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મોવીથી લઇને બિલોઠી સુધીના ગામોમાં વીજપુરવઠો અનિયમિત રહેતા આદિવાસી રહીશોને બારે માસ ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.વીજળીના અભાવના કારણે જનજીવન ઉપર માઠી અસર પડી રહી હતી.નેત્રંગ તાલુકાના ગામે-ગામ ઘરદીઠ વીજળી પહોંચે તેવા આશપથી રાજ્ય સરકાર ૬૬ કેવીનું સબસ્ટેશન બનાવાની જાહેરાત કરી હતી.નેત્રંગ તાલુકાના થવા ગૃપ ગ્રા.પંચાયતના સત્તાધીશો ફુલવાડી ગામે દોઢ એકર જમીનમાં સબસ્ટેશન બનાવામાં આવે તેવો ઠરાવ કરીને રાજ્ય સરકારમાં આપતા ફુલવાડી ગામે સબસ્ટેશન બનાવાની રાજ્ય સરકારે મંજુરી આપતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો.


ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાનની આગેવાનીમાં ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,થવા ગ્રા.પંચાયતના સરપંચે ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર ખોટી સહી કરીને ઠરાવ કયૉ છે,અને ફુલવાડી ગામે સબસ્ટેશન બનશે તો વિરોધ-પ્રદશઁન કરવામાં આવશે.તેવા સંજોગોનાં ઝઘડીયાના ભાજપના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડાના મતદારોની ચિંતા કરે,ઝઘડીયાના મતદારોની ચિંતા કરવા માટે હું બેઠો છું.ઝઘડીયા વિધાનસભાના મતદારોને ગુમરાહ કરવાની કામગીરી બંધ કરો.ફુલવાડી ગામે સબસ્ટેશન તો બનશે.


ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામે સબસ્ટેશનના નિમૉણની કામગીરી બાબતે બંને પક્ષ-વિપક્ષના ધારાસભ્યો આમને-સામને આવી જતાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.આવનાર સમયમાં સબસ્ટેશનની કામગીરી આગળ વધશે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

:- ગ્રામજનોને ઉશ્કેરીને આવેદનપત્ર અપાયું છે: થવા ગ્રા.પંચાયત સરપંચ સુશિલાબેન વસાવા

થવા ગ્રા.પંચાયતના સરપંચની ચુંટણીમાં મારી સામે ઉભેલા અને હાસી ગયેલા ઉમેદવાર અશોકભાઈ રામાભાઇ વસાવાએ ગ્રામજનોને ઉશ્કેરી અને ગેરમાગઁ દોરીને આવેદનપત્ર અપાવ્યું છે તે તદ્દન ખોટું છે.થવા ગ્રા.પંચાયતની ગ્રામસભામાં ઠરાવ કરીને મંજુરી આપી છે.

:- જે ગામમાં રેવેન્યુ-ખરાબાની જગ્યા વધારે હોય ત્યાં સબસ્ટેશન બનાવો :- શેરખાન પઠાણ કોંગ્રેસ અગ્રણી

નેત્રંગ તાલુકાના ફુલવાડી ગામ કરતાં અન્ય જે ગામોમાં ખરાબા-રેવન્યુની ૫૦ એકરથી વધારે જગ્યા હોય તો ત્યાં સબસ્ટેશન બનાવવું જોઈએ.થવા ગ્રા.પંચાયતમાં ખોટો ઠરાવ કરાતાં ફુલવાડી ગ્રામજનોની વેદના વાચા આપવા માટ તેમના સહકારમાં અમે આવ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top