Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નર્મદાના ડેડીયાપાડા,નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર અને ભરૂચના નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું

Share to

જોકે ધરતીપુત્રોમાં ખુશીની લહેર વચ્ચે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતી

ડેડીયાપાડા નેત્રંગ વચ્ચે નેશનલ હાઇવે ઉપર વરસાદના પાણી ફરી વળ્યાં :- વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી

મોવી થી ડેડીયાપાડા ને જોડતા સ્ટેટ હાઇવે પર યાલ પાસેનો પુલ તૂટી પડ્યો :- વાહન વ્યવહાર બંધ થયો

જોકે ભારે અને મોટા વાહનો માટે આ રસ્તો ત્રણ મહિના માટે બંધ કરાયો જ હતો

સાગબારા તારીખ 15,7,24

આજે વહેલી સવારથી નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર, નાંદોદ અને ડેડીયાપાડા સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તો બીજી બાજુ મોવી થી ડેડીયાપાડા જતા સ્ટેટ હાઇવે ઉપર યાલ અને બિતાડા ગામ પાસે આવેલ એક પુલ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જોકે આ રસ્તો ત્રણ મહિના માટે ગત તારીખ 4 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી મોટા અને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો.
આજે સવારથી નર્મદાના સાગબારા તાલુકાને બાદ કરતા ચારેય તાલુકાઓ તિલકવાડા, ગરુડેશ્વર, નંદોદ અને ડેડીયાપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસી પડ્યો હતો. આજે સવારે 6 કલાક થી 10 કલાક સુધી માં ડેડીયાપાડા તાલુકામાં 23 મિમી , તિલકવાડા તાલુકામાં 87 મિમી ,ગરુડેશ્વર તાલુકામાં 145, નાંદોદ તાલુકામાં 129 વરસાદ પડયો હતો.અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પણ ભારે વરસાદ વરસી પડ્યો હતો. જેના કારણે આ બધાય તાલુકાઓમાં નદી નાળાઓ છલકાઈ ઉઠયા છે અને નદીઓમાં ભારે પાણી વહી રહયા છે.ભારે વરસાદ ના કારણે આ બધાય તાલુકાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે.
તો સાંબેલાધાર વરસાદ વચ્ચે મોવી ડેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઇવે ઉપર યાલ અને બિતાડા ગામ વચ્ચે નો પુલ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જોકે આ સ્ટેટ હાઇવેને રીપેરીંગ કરવા માટે ગત તારીખ 4 જુલાઈ થી 30 સપ્ટેમ્બર એમ ત્રણ મહિના સુધી ભારે અને મોટા વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેમાં આજે આ પુલ તૂટી જતા નાના વાહનો માટે પણ રસ્તો બન્ધ થઈ જવા પામ્યો છે. જેના કારણે મોવી થી ડેડીયાપાડા જવા પહેલા 17 કિમિ નું અંતર કાપવું પડતું હતું જે હવે વાયા નેત્રંગ થઈને 40 કિમીનો ફેરવો ફરવો પડશે.તો સાથે સાથે 10 થી 12 જેટલા ગામોને પણ તેની અસર પડશે અને ગ્રામજનોએ પણ રાજપીપળા જવા 40 થી વધુ કિમીનો ચકરાવો મારવો પડશે. ભારે વરસાદ ના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે. ડેડીયાપાડા થી નેત્રંગ વચ્ચે પણ અનેક ઠેકાણે નેશનલ હાઇવે ઉપર વરસાદના કારણે પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદના કારણે વાહનોની લાઈટો ચાલુ રાખીને વાહનો હંકારવાનાઈ ફરજ પડી રહી છે.
સાંબેલાધાર વરસાદના પગલે ડેડીયાપાડા, નેત્રંગ સહિતના બજારો સુમસામ ભાસી રહ્યા છે.ભારે વરસાદના કારણે બજારોમાંથી પાણી વહી રહ્યા હતા. તો અનેક નદીઓમાં પાણી હિલોળે ચઢતા ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top