Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

*ભરૂચ ખાતે પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને વર્ષાઋતુ અંગેની પૂર્વ તૈયારીઓ સંદર્ભે  સમીક્ષા બેઠક મળી*

Share to

ભરૂચ- બુધવારઃ- વર્ષાઋતુ અંગેની પૂર્વ તૈયારી સંદર્ભે આજરોજ પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ભરૂચના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિને પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. અને જિલ્લા વહીવટીતંત્રની તમામ કામગીરીનું આયોજનની સાથે એ-આઈ બેઝ તૈયાર કરાયેલી ઈ – રેવા એપ વિશે માહિતગાર કરી વહીવટીતંત્રની તૈયારીઓની વિગતો આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને આકસ્મિક વરસાદની સંભાવનાને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્નારા થયેલા આગોતરા આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે,સબ ડિવિઝન પ્રમાણે આકસ્મિક સંજોગોમાં કેવા પગલાં લેવા એ બાબતે પણ સમિક્ષા કરી પોતાનો રોલ આપી તમામ અધિકારીઓને તેમને જવાબદારી સોંપાઈ ગઇ છે. પૂર જેવી સ્થિતિમાં લોકોને સાવચેત કરવા અને મળેલ આગાહીની લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, જાનહાની કે માલની નુક્શાની નિવારવા તમામ જરૂરી પગલાં, બચાવ રાહત કામગીરી માટે બોટ, હોડી, તરવૈયાઓની યાદી, સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી સંપર્ક માહિતી સાથે અસરગ્રસ્ત ગામોના લોકોને કયા સ્થળે સ્થળાંતર કરાવવું, ભવિષ્યમાં જરૂર પડે ફુડ પેકેટ અને શુધ્ધ પાણીની વ્યવસ્થાનું આયોજન, પશુ જાનહાની માટે સર્વે ટીમ, ડી વોટરીંગ પંપના સેટ, વાવાઝોડ – પૂર અંગેની ચેતવણી મળ્યેથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય નહીં તેનું આયોજન, જિલ્લાની તમામ ડ્રેનેજ લાઈન તથા કાંસો સફાઈની કામગીરી વિશે, વર્ષાઋતુ સાથે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા આનુસંગીક સાધન સામગ્રી સાથે જિલ્લા વહીવટીતંત્રની તમામ ઝિણવટભરી માહિતી આપી હતી.
પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ બેઠકમાં તબક્કાવાર દરેક વિભાગ હસ્તકની કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી હતી. મોન્સુન અને ફ્લડ દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી અને ટીમ વર્કથી પાર પાડવાની અધિકારીઓને તાકીદ કરી હતી.

વધુમાં, વર્ષાઋતુ/પૂર દરમિયાન કોઈ રોગચાળો ન ફેલાય તે અંગે તકેદારી રાખી સ્વાસ્થ્યના તાકીદના પગલાં લેવા અને શહેરમાં સ્વચ્છતા રાખી, રોગચાળો ના ફેલાઇ એ બાબતે ખાસ સૂચના આપી હતી. ફલ્ડ જેવી સ્થિતિમાં પીવાનુ આરોગ્યપ્રદ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, મેડીકલ ટીમો, પૂરતી દવાઓનો જથ્થો, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટેનું આયોજન, ખેતીની જમીન પાકને નુકશાન થયેલ હોય તો તે અંગે સર્વેની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી કરવા, ખેતીની જમીન પાકને નુકશાન થયેલ હોય તો તે અંગે સર્વેની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી કરવા, ફલડ જેવી પરિસ્થિતિમાં સાવચેતી રાખી અગમચેતીના પગલાં લેવાની સલાહ આપી હતી.

બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ, અંકલેશ્વર નગરપાલિકા, જિલ્લા પોલીસ વડાશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના અધિકારીગણ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top