Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ભરૂચ જિલ્લામાં ૫૯૫૨૫ હેક્ટરમાં કપાસ, ૨૪૬૪૫ તુવેર તથા ૪૮૦૦ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર

Share to

ખરીફ પાકોનું વાવેતર- ભરૂચ જિલ્લો

વાવણીલાયક વરસાદ બાદ પહેલા રાઉન્ડમાં ખરીફ પાકોનું અંદાજિત ૧૫૪૩૭૭ હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર

સોયાબીન, કપાસ અને તુવેરની સાથે કેળા અને શાકભાજીની વાવણી- રોપણીનું કાર્ય પૂરજોશમાં, સારા વરસાદની શક્યતાને પગલે વાવેતર વધવાની પ્રબળ શક્યતા
**
ભરૂચ- સોમવાર – રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચુક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જુદાં – જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રવિણ માડાંણીના જણાવ્યા પ્રમાણે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સરકારશ્રીની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ખેડૂતો હોંશે-હોંશે વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને બિનપિયત મળી કુલ ૫૯૫૨૫ હેક્ટરમાં કપાસ, ૨૪૬૪૫ હેક્ટરમાં તુવેર, ૪૮૦૦ હેક્ટરમાં સોયાબિન, અને બિનપિયત મળી ૨૫૬૩ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. તે ઉપરાંત શેરડી, , જુવાર-બાજરી-મકાઈ તથા છે. અને મગ, મઠ, અડદ સહિતના કઠોળ પાકોનું વાવેતર પણ શરૂ થઈ ચુક્યું છે. આમ કુલ ૧૫૪૩૭૭ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચુક્યું છે.

તે સાથે સરેરાશ કૃષિક્ષેત્રે ભરૂચ જિલ્લાની જાણવા જેવી વિગતો….
ભરૂચ જીલ્લા ખાતે રાજયમાં સૌથી વધારે તુવેર પાકનો વિસ્તાર છે. તે સરેરાશ ૭૪૫૬૪ હેક્ટર જેટલો છે જે રાજ્યના ૩૨.૧૦% થાય છે.

રાજયમાં રાજયમાં સૌથી વધારે કેળાં પાકનો વિસ્તાર ભરૂચ જીલ્લામાં છે. અને તે સરેરાશ ૯૭૫૪ હેક્ટર જેટલો છે જે રાજ્યના ૨૯.૫૯% થાય છે.

રાજયમાં શેરડી પાકના વિસ્તારની દ્રસ્ટીએ સુરત પછી ભરૂચ બીજા ક્રમે આવે છે. જે સરેરાશ ૩૪૧૫૦ હે છે. જે રાજ્યના ૨૪.૯૨% થાય છે.
જીલ્લામાં સૌથી વધુ વિસ્તાર કપાસ પાકનો છે. જે ૮૮૧૬૬ હે છે. તેમ છતાં તે રાજ્યના માત્ર ૩.૬૩% જેટલો જ છે. જ્યારે જીલ્લામાં વાવેતરની દ્રષ્ટીએ તુવેર બીજા ક્રમે આવે છે. તેમ છતાં રાજયમાં તે સૌથી વધારે છે. અને રાજ્યના ૩૨.૧૦% થાય છે.
જીલ્લામાં રૂ નું ઉત્પાદન ૨૩૯૦૨૦ ગાંસડી છે. જે રાજ્યના ૨.૯૮% થાય છે. (એક ગાંસડી એટલે કે ૧૭૦ કીલો રૂ) જ્યારે તુવેરનું ઉત્પદન ૭૬૦૭૬ મે. ટન છે. જે રાજ્યના ૩૦.૪૬% થાય છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ વાવેતર અંદાજિત ૨ લાખ હેક્ટર આસપાસ રહેતું હોય છે. હાલમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલીયા, ઝઘડીયા, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ, જંબુસર, આમોદ, તાલુકાઓમાં વ્યાપકપણે વાવેતરની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વરસાદ સાથ આપશે તો ખૂબ સારું વાવેતર થશે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું નીવડશે, એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top