* સોયાબીન ૨૮૮૦ હેક્ટર-સોયાબીન ૨૮૨૫ હેક્ટર વાવેતરમાં મોખરે
* સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો ચોમાસું પાક ઉપર નિભઁર
તા.૦૬-૦૭-૨૦૨૪ નેત્રંગ.
ભરૂચ જીલ્લાના ડુંગરાળ-પથ્થર વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે મોટભાગના ખેડુતો ચોમાસું ખેતી ઉપર જ નિભઁર રહેતા હોય છે.આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની જમણા-ડાબા કાંઠાની ૭૫ કિલોમીટરથી વધુ કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૨૫૦-૩૦૦ હેકટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી શકે છે.માચઁના માસમા પ્રારંભની સાથે બોર-મોટર,કુવા અને નદી-નાળામાં પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરી જતાં હોવાથી કાળીમજુરી કરીને ઉભો કરેલ પાક બળીને ખાખ થઇ જાય છે.
જુન માસના પ્રારંભની સાથે મેઘરાજાના આગમન બાદ નેત્રંગ તાલુકાના ખેડુતોએ ખેતીકામમાં જોતરાયા હતા.જેમાં સોયાબીન ૨૫૮૦ હેક્ટર,કપાસ ૨૫૨૮ હેક્ટર,તુવેર ૧૪૨૧ હેક્ટર,ડાંગર ૭૪૫,મકાઈ ૫૪૫,શાકભાજી ૨૫૦,લીલો પડવાસ ૧૨૪,મગફળી ૫૨ અને અળડ ૨૯ હેક્ટર એટલે કે કુલ ૮૫૭૧ હેક્ટર વાવેતર થયાનું જાણવા મળ્યું છે.જુલાઈ માસમાં મેઘરાજા વિરામ કરે તો વાવેતરના આંકડામાં હજુ વધારો થઇ શકે તેમ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર