* તા.પંચાયતના ભવનમાં વિવિધ આગેવાનો જોડાયા
ત
ા.૦૨-૦૭-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ આર.આર ગોહિલ દ્વારા નેત્રંગ તા.પંચાયત કોન્ફરન્સ હોલમાં મામલતદાર રીતેશ કોકણી,નેત્રંગ કોર્ટ-બાર એસોસિએશનના પ્રમુખ પ્રવિણભાઈ પરમાર અને વકીલ મંડળના સભ્યો,વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતમાં નવા ફોજદારી કાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં નેત્રંગ વકીલ મંડળના સભ્યો અને પીએસઆઇ આર.આર ગોહિલે નવા ફોજદારી કાયદા વિશે વિસ્તૃત સમજણ-માગઁદશઁન આપવામાં આવ્યું હતું.
*વિજય વસાવા નેત્રંગ*