Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share to

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નેત્રંગ બાર

એસોસીયેશન દ્વારા એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કોંકણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે આજરોજ તારીખ ૦૧/૦૭/૨૦૨૪ ના રોજ સવાર ના ૧૦/૦૦ કલાકે નેત્રંગ બાર એસોસીયેશનની અરજન્ટ મીટીંગ મળી જેમાં નીચે મુજબનો કરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના એસોસીયેશની તરફ થી એડવોકેટ પ્રોટેકશન એકટ બાબતે અને વકીલાતને વ્યવસાયકો પર થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાને લઈ આ બાબતે આવેદન પત્ર આપવા ઠરાવ કરવામાં આવેલ છે.


એડવોકેટસ આપણી કાનૂની પ્રણાલિનો અભીન્ન ભાગ છે જે ન્યાયની પ્રાપ્તી અને ન્યાય પ્રણાલીની વિજેતા ને સુનિસ્ચીત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે અને આવા પ્રશ્નોના હલ માટે સમાજના વિવિધ વર્ગોના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાય પ્રક્રિયા અને સત્ય માટેની લડતમાં અંગ્રેસર રહે છે અને હાલમાં ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષમાં વકીલાતના વ્યવસાય ઉપર થયેલા હુમલા અને વકીલ વિરોધી હિંસક પ્રવૃતિઓની વધારો થયેલ છે અને આ પરીસ્થીતીને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એકટ તાત્કાલિક પસાર કરવાની જરૂર છે જો વકીલો અને તેમના પરીવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિચ્ચીત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિચ્ચીત કરી શકાશે નહીં. વકીલો સમાજના હિત માટે સત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિસ્થિત થઈને કાર્ય કરી શકે તે માટે વકીલો અને તેઓના પરીવારના હિત માટે આ એડવોકેટ પ્રોટેકશન એકટ હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી થઈ પડેલ છે. તાજેતરમાં તા.૧૬-૦૬-૨૦૨૪નાં રોજ વકીલશ્રી ગોવિંદભાઈ મકવાણા ઉપર પાલનપુરમાં હુમલા કરવામાં આવેલો. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલોનું મર્ડર થયેલ છે. અમરેલી કોર્ટમાં વકીલના માતાનું મર્ડર થયેલ છે અને વકીલોને ઘણી બધી કોર્ટમાં હુમલો કરવા માટે ધમકીઓ આપવામાં આવેલી છે તેમજ અમરેલી ખાતે એક એડવોકેટ પિતા-પુત્રી સામે પણ ખોટી એફ આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે તેમજ ભાવનગરમાં પણ એડવોકેટના કારકૂન સામે પણ ખોટી એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે.વકીલો તેમજ તેમના પરીવારની હવે જો સુરક્ષા સુનિસ્ચીત કરવામાં નહીં આવે તો ન્યાયની પ્રણાલી કે જે આપણાં દેશનું અભિન્ન અંગ છે તે ડગમગી જશે જેથી આ બાબતે યોગ્ય કરવું જરૂરી હોઈ આ એડવોકેટ પ્રોટેકશન એકટ લાવવો અત્યંત જરૂરી છે.

વકીલો ના વ્યવસાય માટે સલામત અને સુરક્ષીત વાતાવરણ સુનિચ્ચીત કરવા માટે આ એક્ટ લાવવો ખુબ જ જરૂરી છે તેમજ કામગીરી દરમીયાન કોઇ પણ પ્રકાર ની હિંસા કે દુવ્યવહાર અંગે કાયદાકીય સુરક્ષા પુરી પાડવી જરૂરી છે. વકીલો તથા તેમના પરીવાર પર હુમલો કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવી સારી અને સન્માન જનક ફેસીલીટી વકીલો નું ગૌરવ અને આત્મસન્માનમાં વધારો કરી શકે છે.

જેથી વિનંતી કે ગુજરાત રાજ્ય વિધાન સભામાં એડવોકેટ પ્રોટેકશન એક્ટ (વકીલ સુરક્ષા અધિનિયમ) ત્વાત્કાલીક પસાર કરવામાં આવે, વકીલોના હિત ને સુરક્ષિત અને કાનુની વ્યવસાયમાં શાતી પુર્ણ અને સુનિચ્ચીત સુરક્ષીત વાતાવરણ થાય એવી માંગ કરવામાં આવી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top