શિવાકાશીના બ્રાન્ડેડ કંપનીના અવનવી વેરાઈટી ના ફટાકડા નો સ્ટોલ રાણીપુરા ગામ ખાતે શરૂ થયો.
પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે આવેલ રાણીપુરા ગ્રુપ કો-ઓપરેટીવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ દ્વારા તેના સભાસદો માટે સીઝનેબલ વ્યવસાય નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી મંડળી દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ખોલવામાં આવે છે,
બજારમાં થતી કાળાબજારીને ડામવાના એક નાનકડા પ્રયાસ રૂપે સોસાયટીના સભાસદો તથા રાણીપુરાના આજુબાજુના ગ્રામજનોને બજાર કરતા સસ્તા ભાવે ફટાકડા મળે તેવા આશય સાથે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ સોસાયટીના ડિરેક્ટર હર્ષદભાઈ પટેલના હસ્તે શ્રીફળ વધેરી દીપ પ્રાગટ્ય કરી સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સ્ટોલમાં અવનવી ૨૦૦ થી વધુ પ્રકારની વેરાઈટીના ફટાકડા વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. ગામના વડીલો યુવાનો દ્વારા સ્ટોલમાં માનદ સેવા આપવામાં આવી રહી છે.
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના