




* વલી મુકામે ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની આગેવાનીમાં બેઠક યોજાઈ
* જંગલની જમીન બાબતે આદિવાસી સમાજ અસમંજસની સ્થિતિમાં
તા.૩૦-૦૮-૨૦૨૩ નેત્રંગ.
ભરૂચ જીલ્લામાં આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વષૉથી જંગલની જમીનના પ્રશ્નો બાબતે આદિવાસી સમાજમાં અસમંજસની સ્થિતિમાં જણાઇ રહ્યો છે.જંગલની જમીનની સનદ,હક્કપત્રો અને ખેડાણ અંગેના વિવિધ પ્રશ્નોનો વર્ષૉથી ઉકેલ આવ્યો નથી.રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ અને આદિવાસી સમાજના આગેવાનોમાં વષૉથી ઘષઁણ ચાલી રહ્યું છે.જેના કાયમી સમાધાન માટે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની આગેવાનીમાં જંગલની જમીન બાબતના પડતર પ્રશ્નોના બાબત ભરૂચ વનવિભાગના અધિકારીઓ સાથે મહત્વપુણઁ બેઠક યોજાઇ હતી.વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના આદિવાસી આગેવાનોએ ધારદાર રજુઆત કરી હતી.ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ જંગલ જમીન બાબતે આદિવાસી સમાજની માંગણી પુરી કરવા રાજ્યકક્ષાએ રજુઆત કરવા અને પડતર પ્રશ્નોનું કાયમી પરીણામલક્ષી સમાધાન કરવા માટેનું આશ્વાસન આપતા આદિવાસી સમાજમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના