ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા પર કહેવાતા બનેવીએ બળાત્કાર કરતા ચકચાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા પર તેના કહેવાતા બનેવી એજ બળાત્કાર કર્યો હોવા બાબતની ફરિયાદ સગીરાની માતાએ નજીકના પોલીસ મથકે લખાવી હતી. સાળી બનેવીના પવિત્ર સંબંધો પર કલંકરૂપ ગણાય એવી આ ઘટના બાબતે મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે નંધાયેલ પોલીસ ફરિયાદ મુજબનો આરોપી અને સંબંધે સગીરાનો બનેવી થતો નેત્રંગ તાલુકાનો રહીશ સતિષ રાજુભાઇ વસાવા નામનો ઇસમ ગત તા.૮ મીના રોજ સવારના સમયે ધો.૧૨ માં અભ્યાસ કરતી આ સગીરાને ઇકો ગાડીમાં બેસાડીને શાળાએ મુકવા જતો હતો, તે દરમિયાન રસ્તામાં સતિષના મનમાં વાસનાનું ભુત સવાર થતાં તેણે સારા નરસાનું ભાન ભુલીને ગાડી રોડની બાજુમાં ઉભી રાખી દીધી હતી.અને સગીરાના હાથ બળજબરીથી ઓઢણીથી બાંધી દીધા હતા અને ત્યારબાદ તેણીના કપડા કાઢી નાંખીને બળાત્કાર ગુજાર્યો હતો.અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ એમ ધમકી આપી હતી. આ ઘટના બાદ સગીરાની હાલત બગડતા તેને સારવાર માટે ઝઘડિયા લઇ જવામાં આવી હતી, અને ત્યારબાદ વધુ સારવારની જરુર હોઇ ભરૂચ ખાતે લઇ જવામાં આવી હતી. વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટનાનો આરોપી સંબંધી હોઇ તે સમયે પોલીસ ફરિયાદ અાપવામાં આવી નહતી, પરંતું ત્યારબાદ સગીરાને ઇન્ફેક્શન થયું હોઇ સારવાર હેઠળ રાખવી પડેલ હોઇ સગીરાની માતાએ ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ ઘટના બાબતે પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..