નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા માંથી એક વિધવા મહિલા નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કોલ આવેલ અને જણાવેલ કે તેમની દીકરી હેરાનગતિ કરે છે અને મારે છે અને ઘર માંથી કાઢી મૂક્યા છે જેથી રાજપીપલા અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલગ કરી સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ પીડિત મહિલા જણાવતા કે ચાર વર્ષ થી તેમના પતિ ગુજરી ગયા છે તેઓ એકલાજ મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવતા હતા. ત્યારબાદ મારી દીકરી ના પતિ પણ મૃત્યુ પામ્યા માટે તે એની દીકરી ને લઈ પિયર રહેવા આવી ગઈ.એક વર્ષ થી મને માનસિક ત્રાસ આપે છે. અને મારું ઘર એના નામ પર કરી લીધું અને મને ઘર માંથી કાઢી મૂકે છે. મારું ઘર છે મે બનાવ્યું હતું. અને તારા અને પપ્પા પાછળ પાંચ લાખ રૂપિયા ખર્ચો કર્યો તે મને આપી દે અને અહીથી નીકળી જા. એમ કરી પત્થર લઈ મારવા આવે. ઘરે જ રહે હું એકલી મજૂરી કરી ઘરમાં બધું લાવું છું. મને ખૂબ જ હેરાન કરે છે. ત્યારબાદ તેમની દીકરી નું અસરકારક કાઉંસેલિંગ કર્યું અને તેઓ જણાવતા કે ઘર બનાવવા મે મમ્મી ને મદદ કરી હતી તો હું પૈસા માગું છું. ના આપે તો ઘર માંથી નીકળી જાય તેઓ બોલ બોલ કરે તો ગુસ્સો આવે તો મારી દેવાય. ત્યારબાદ તેમને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા અને તેમના મમ્મી વિધવા મહિલા છે તો તેમનો સહારો બને અને ઘર સંસાર ચલાવવામાં તેમની મદદ કરે તેમને ભૂલો સમજાતાં માફી માગી હતી. અને ફરી હું ક્યારેય મારી માં ને હેરાન નહિ કરું સારી રીતે રાખીશ તેમ જણાવતા પારિવારિક ઝગડા નું સુખદ સમાધાન કરાવ્યું હતું.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*
More Stories
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના
*ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના બોલાવ ખાતે ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ*