




મણીપુર માં મહિલાને નિર્વાસ્ત્ર કરીને જાહેરમાં કરેલા બરબરતા પૂર્ણ કૃત્ય અને ત્યારબાદ થયેલા સામૂહિક બળાત્કારના વાસ્તવિક કૃત્ય ની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી વિસ્તાર ઉમરપાડા તાલુકામાં ઘેરાં પ્રત્યાઘાત સાથે સંપૂર્ણ આખો ઉમરપાડા તાલુકાના ગામડાઓમાં બંધ જોવા મળ્યું હતું . ઉંમરપાડા તાલુકાના ઉમરપાડા, કેવડી, વાડી, વડપાડા, ખોટારામપુરા, સરવણ ફોકડી જેવા ગામોમાં પણ નાના નાના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા .વાડી ગામે આજે તમામ દુકાનો કવોરી ઉદ્યોગ હાટ બજાર બંધજોવા મળ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 શામળાજી થી વાપી વચ્ચે હાઈવે રસ્તો પણ વાહનો મોટા પ્રમાણમાં બંધ જોવા મળ્યા હતા. આમ ઉમરપાડા તાલુકા એ મણીપુરની ઘટનાના વિરોધમાં સજ્જડ બંધ પાડ્યો હતો. આમ આદિવાસી સંગઠનોના આપેલ બંધ ના એલાન ને ઉમરપાડા તાલુકામાં જોવા મળ્યો હતો.
*રિપોર્ટર: સર્જન વસાવા,ઉમરપાડા*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..