Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ઝઘડિયા જીઆઇડીસીમાં ફાયરિંગની ઘટનાના ફરિયાદીએ મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિત અધિકારીઓને પત્ર લખ્યો.

Share to

પત્રમાં આરોપીઓના કોલ ડીટેલ્સ રિપોર્ટ ની ચકાસણી કરી ડેટા એનેલીસીસ કરવા તથા આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી છે.

ઝઘડિયા જીઆઇડીસીમાં ફાયરિંગની ઘટનાના ફરિયાદીએ મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિત અધિકારીઓને પત્ર લખ્યો છે..

ઝઘડિયા જીઆઇડીસીની બહુચર્ચિત ફાયરીંગની ઘટનાના ફરિયાદી રજનીકાંત ઉર્ફે રજની રાજુભાઈ વસાવા રહે. ચમારીયા તા. વાલીયા જી. ભરૂચનાએ ઝઘડિયા જીઆઇડીસીની ફાયરિંગની ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓના કોલ ડિટેલ્સ ચકાસવામાં આવે તથા આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવે તેવી માંગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહ મંત્રી, મુખ્ય પોલીસ મહાનિર્દેશક, ઇન્સ્પેક્ટર જનરલ વડોદરા રેન્જ, જીલ્લા પોલીસ વડા ભરૂચ તથા કલેકટર ભરૂચને પત્ર લખી માંગણી કરી છે. રજનીકાંત ઉર્ફે રજની રાજુભાઈ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે આ ગુનાના મુખ્ય આરોપી જયમીન પટેલ રાજકીય વગ ધરાવતા હોય આ કામે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

જયમીન પટેલ સાથે ભરૂચ જીલ્લાના રાજકીય ટોચના આગેવાનો તેઓ સાથે અનૈતિક ધંધાના ભાગીદાર છે, તેઓ સાથે જયમીન પટેલ દ્વારા રાજકીય પદનો ફાયદો ઉઠાવી ઔદ્યોગિક વસાહતોમાં ઘાતક અને રૂઆબ જમાવી પોતાનું સામ્રાજ્ય ફેલાવેલું છે, જેથી આ કામના મુખ્ય આરોપી જયમીન પટેલ અને અન્ય આરોપીઓના કોલ ડીટેલ્સ રિપોર્ટ (સીડીઆર) ની ચકાસણી કરી ડેટા એનાલિસિસ કરવા ગુનાના કામે જરૂરી છે‌. આ ગુનામાં ષડયંત્ર રચનારાઓમાં ભરૂચ જીલ્લાના એક રાજકીય પક્ષના ઉચ્ચ હોદ્દેદારો તેમજ ધારાસભ્ય પણ સામેલ છે જેની તપાસ થવી જરૂરી છે, આ ગુનાના સમયે આરોપીઓના લોકેશનો મેળવી રાજકીય આગેવાનોના લોકેશનો ચકાસવા પણ જરૂરી છે, જેથી આ ગુનામાં તેઓની સાંઠગાઠ મુખ્ય આરોપી સાથે છે તે ફલિત થશે, વધુમાં મુખ્ય આરોપી જયમીન પટેલની બેનામી અને નામી મિલકતોની તપાસ થવી જરૂરી છે, તેઓની ભાગીદારી પેઢીમાં પણ રાજકીય આગેવાનોના સગા વ્હાલા અને કુટુંબની ભાગીદારી છે જેની તપાસ થવી જરૂરી છે.

અગાઉ ૨૦૨૧ માં ઝઘડિયા જીઆઇડીસીમાં આરએમસી કોન્ક્રીટના ધંધા સાથે સંકળાયેલા યુવાનો ઉપર હુમલો કરવાના ગુનામાં માસ્ટર માઈન્ડ જયમીન પટેલ રાજકીય પક્ષના આગેવાનોને કારણે બચી ગયેલ છે, આ સિવાય લેન્ડ ગ્રેબીંગના પણ ગુનાઓમાં સંડોવાયેલા છે પરંતુ રાજકીયવગના કારણે તે કાયદાથી બચી જાય છે, જેથી ઉપરોક્ત તમામ ગુનાઓની તપાસ રીઓપન કરી ફરી ગુનામાં તેને ગુનાહિત કામે પીઠબળ આપી બચાવનાર રાજકીય આગેવાનો કોણ છે તેની તપાસ થવી જરૂરી છે, જે તે સમયના અધિકારીઓની પોલીસ ડાયરી પણ ચેક કરવી જરૂરી છે, આ ગુનાનો મુખ્ય આરોપી રીઢો ગુનેગાર છે, અમે ફરિયાદી આદિવાસી સમાજમાંથી આવીએ છીએ જેથી અમારી સાથે થયેલા હુમલામાં અમે બચી ગયેલ છે પરંતુ ભવિષ્યમાં પણ આ આરોપીઓ હુમલો કરી અમારા જીવ ના જોખમ સાથે આ વિસ્તારમાં ભય ઊભો કરવાની અમને દહેશત છે, વધુમાં અમારો કેસ ચલાવવા માટે રાજકીય પીઠબળ પર ન ધરાવતા વ્યક્તિની સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિમણૂક કરવાની વિનંતી છે આ ગુનાના આરોપીઓ સાથે ઉચ્ચકક્ષાના સરકારી અને રાજકીય આગેવાનો સંડોવાયેલા હોય આ તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા કરવામાં આવે તો ગુનાહિત માનસિકતા ધરાવતા વાઈટ કોલર ગુનેગાર સુધી પહોંચી શકાય એમ છે. મારી આ ગુનાના ફરિયાદી તરીકેની રજૂઆત ધ્યાને લઈ આ ગુનાની તપાસ હાથ ધરવા સીટની રચના કરવા અને આ ગુનાના કામે માંગ્યા મુજબની જરૂરી કાર્યવાહી હાથ ધરવા સાથે અમો ફરિયાદીને હથિયારધારી પોલીસનો બંદોબસ્ત આપવા વિનંતી છે કેમ રજનીકાંત વસાવા એ ઉચ્ચ સ્તરે લખેલા પત્રમાં જણાવ્યું હતું


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top