ડેડીયાપાડા : ગુજરાતમાં ચુંટણીનો માહોલ શરૂ થઈ ગયો છે. આ ચુંટણીના પડખમ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને ભાગવત આજે ડેડીયાપાડા ખાતે આવેલા પીઠા ગ્રાઉન્ડમાં જનમેદનનીને સંબોધશે. આ સભામાં લોકો માટે કંઈક નવી જાહેરાત થાય તો નવાઈ નહી.
આમ આદમી પાર્ટીએ તબક્કાવાર ગુજરાતમાં પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. છેલ્લે સુધીની અટકળો બાદ ૧૪૯ ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર આ વિસ્તારના કદાવર નેતા તરીકે ચૈતર વસાવાને ટિકીટ આપી આમ આદમી પાર્ટીએ મતવિસ્તારની ચુંટણીની દિશા અને દશા જ બદલી નાખીતો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ૧૪૯ ડેડીયાપાડા વિધાનસભાની ટિકીટ આપી માસ્ટર કાર્ડ ખોલ્યું હોવાનું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે આજરોજ યોજાવામાં આવેલી સભામા તરફ લોકોની મિંટ મંડાયેલી રહેશે.
ચૈતર વસાવા સમાજના તમામ પ્રશ્નો બાબતે અવાજ ઉઠાવતા રહ્યા છે. હંમેશા મદદ માટે ખડેપગે રહેનાર અને લોકો સાથે મૃદુ સ્વભાવ ધરાવતા વ્યક્તિને ટિકીટ મળતાં સમ્રગ વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ છે. ત્યારે આવનારા સમયમાં જ ખરૂ ચિત્ર સ્પષ્ટ થશે.
૦૦૦૦૦
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા