Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

જૂનાગઢ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેશોદમાં રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે આયુષ્માન કાર્ડ વિતરણ શુભારંભ જિલ્લામાં ૫.૭૪ લાખ લોકોને આયુષ્માન કાર્ડની સેવાઓ હેઠળ આવરી લેવાયા

Share to





છેલ્લા દસ વર્ષમાં જિલ્લાના ૧.૫૨ લાખ લોકોને આયુષ્માન કાર્ડ હેઠળ રૂ.૨૯૦ કરોડની આરોગ્ય સહાય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી રાજ્યના ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણનો ઈ – પ્રારંભ કરાવ્યો ડબલ* એન્જિનની સરકારે લોકોના સપના સાકાર કર્યા છેરાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ

જૂનાગઢ તા.૧૦ ઓકટોબર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેશોદમાં રાજ્યના પશુપાલન અને સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ વિતરણ શુભારંભ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં ૫.૭૪ લાખ લોકોને આયુષ્માન કાર્ડની સેવાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જિલ્લાના ૧.૫૨ લાખ લોકોને આયુષ્માન કાર્ડ હેઠળ ગંભીર બીમારી વખતે છેલ્લા દસ વર્ષમાં રૂ.૨૯૦ કરોડની આરોગ્ય સહાય ચૂકવવામાં આવી છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતેથી રાજ્યના ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણનો ઈ – પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત આ સમરોહમાં ગાંધીનગરથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.
કેશોદમાં આંબાવાડી ખાતેની પટેલ સમાજની વાડીમાં યોજાયેલ આ સમારોહમાં રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે જણાવ્યું કે, કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી આ ડબલ એન્જિનની સરકારે લોકોના સપનાઓ સાકાર કર્યા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવતા આયુષ્માન કાર્ડથી લોકોને આરોગ્ય કવચ મળ્યું છે. જેથી ગંભીર બીમારીઓ વખતે ખર્ચની ચિંતા પણ ટળી ગઈ છે.
કેશોદ તાલુકામાં પણ આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરવામાં આવી છે, ડાયાલિસિસ માટે અધ્યતન મશીન, કેન્દ્રમાં લોહીના નમુનાની તપાસ માટેના મશીનો – સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેશોદમાં ૭૫ બેડની અદ્યતન હોસ્પિટલથી લોકોને ખૂબ મોટી આરોગ્યની સેવા મળી રહી છે. આ અહીંયા અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થતા લોકોને હવે જૂનાગઢ રાજકોટ સુધી લાંબુ થવું પડતું નથી. અંતમાં મંત્રીશ્રીએ આરોગ્ય સુવિધા માટે જરૂરી સહાય અનુદાન આપવા માટેની પણ તૈયારી દર્શાવી હતી.
આ પ્રસંગે કેશોદના પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું કે, ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીઓના સમયમાં રૂ.૫ લાખની સહાય તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પ્રધાનમંત્રીશ્રીની આ યોજનાથી હવે લોકોને નાણાંના અભાવે પોતાના સ્વજનો ગુમાવવા પડતા નથી. તેમ જણાવતા તેમણે કેન્દ્ર રાજ્ય સરકારની સાથે રહેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ વંદનાબેન મકવાણા,કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, કારોબારી સમિતિના ચેરમેન શ્રી મોહનભાઈ બુટાણી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી દેવાભાઈ ખાંભલા, અગ્રણી સર્વશ્રી અશ્વિનભાઈ કુંભાણી, પરબતભાઈ પિઠીયા, પ્રવીણભાઈ ભાલાળા સહિતના મહાનુભાવો અને આયુષ્માન કાર્ડ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત RCHO ડો. મનોજભાઈ સુતરીયા અને આભારવિધિ CDHO ડો. સંજય કુમારે કરી હતી.

મહેશ કથીરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top