દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા હિન્દુ દેવી દેવતાઓ માટે કરેલા નિવેદન બાદ તેનાં પડઘા સુરતમાં પડી રહ્યાં છે. સુરતમાં ગઈકાલે આપ વિરોધી બેનર હોર્ડિંગ્સ લાગ્યાં બાદ આજે ગોડાદરા વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો હતો. આપ નાં નેતાઓ સામે ઉગ્ર વિરોધ બાદ અચાનક કેટલાક લોકોએ આપ ની ઓફિસ સામે દેખાવો કરીને તોડફોડ કરી હતી જેનાં કારણે મામલો ગરમાયો છે. આપ નાં મંત્રી દ્વારા દિલ્હી ખાતેનાં એક સંમેલનમાં હિન્દુ દેવી દેવતાઓ અંગે કરેલી ટિપ્પણી સામી ચુંટણીએ આપ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. આપ ના વધતા જતા પ્રભાવ વચ્ચે આ ટિપ્પણીથી અનેક લોકોની લાગણી ને ઠેસ પહોંચી છે. તો બીજી તરફ ગઈકાલે રાતોરાત સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં કેજરીવાલ વિરોધી બેનર લાગ્યાં તેમાં કેજરીવાલ અને આપ પાર્ટી હિન્દુ વિરોધી પાર્ટી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેનર પોસ્ટર બાદ આજે સુરતનાં ગોડાદરા વિસ્તારમાં કેટલાક હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ગોડાદરાનાં મહારાણા પ્રતાપ ચોક ખાતે બજરંગ સેનાં દ્વારા આપ નાં મંત્રીનાં નિવેદનનો આક્રોશપૂર્ણ રીતે વિરોધ કરવામા આવ્યો હતો. ભગવાનને માનતા નથી તો વોટ કેવી રીતે માગો છો આ ઉપરાંત અમારી આસ્થા સાથે ખિલવાડ કરવામા આવે છે તે સહન નહીં કરવામાં આવે તેવા સૂત્રોચાર કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અચાનક જ માધવ શોપિંગ સેન્ટરમાં આવેલા આપ નાં કાર્યાલય નાં બેનર પર ગુસ્સો કાઢવામાં આવ્યો હતો. બેનર ફાડી ને સળગાવી દેવામાં આવ્યું હતું જેના કારણે દોડધામ થઈ ગઈ હતી. આ વિરોધનાં કારણે આસપાસનાં વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ થઈ ગયો હતો. આ વિરોધ બાદ આગામી દિવસોમાં આ આ વિવાદ વધુ વકરે તેવાં એંધાણ વર્તાય રહ્યાં છે
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત
Khabar Ek dum Sachi
More Stories
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વેવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,