(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૪
ગત ૨૮મી મેના રોજ મોદીએ રાજકોટના આટકોટ ખાતે હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું તેમજ ગાંધીનગરમાં સહકાર સંમેલનને સંબોધન કર્યું હતું. હવે ૧૦મી જૂને તેઓ ફરી એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દિવસે તેઓ અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેશે. ઇસરોમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ નવસારીના ચિખલીમાં આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેના ૮૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પાણી લિફ્ટ કરીને આદિવાસી ડુંગરાળ વિસ્તારોને પાણી પહોંચાડવા માટેનો આ મહત્વનો પ્રોજેક્ટ છે. વડાપ્રધાન મોદી અહીં જાહેર સભાને સંબોધન પણ કરશે.વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. ૧૨ દિવસ બાદ ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદ અને નવસારીના ચિખલીની મુલાકાત લેશે.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા