(ડી.એન.એસ.) ન્યુદિલ્હી, તા.૦૩
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે દિલ્હીમાં એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, દ્ગજીછ અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ડ્ઢય્ ઝ્રઇઁહ્લ કુલદીપ સિંહ, બોર્ડર સિક્યોરિટી ફોર્સના વડા પંકજ સિંહ, જમ્મુ-કાશ્મીર ડ્ઢય્ઁ દિલબાગ સિંહ અને અન્ય મહત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં અમિત શાહે કહ્યું કે કાશ્મીરી હોય કે બિન-કાશ્મીરી સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિક સ્તરે ગુપ્તચર માહિતી અને સુરક્ષા કવચ વધુ વધારવું જાેઈએ. કાશ્મીરમાં એવા વિસ્તારોની ઓળખ કરવી જાેઈએ જ્યાં આવી ઘટનાઓ બની શકે. આતંક ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ અને કોઈપણ કિંમતે તેને બક્ષવામાં નહીં આવે. ગૃહમંત્રીને બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે આ સમગ્ર મામલે એન્ટી ટેરરિઝ્મ ગ્રીડ સંપૂર્ણ રીતે સક્રિય છે. તાજેતરના દિવસોમાં એવું જાેવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ નાગરિકો અને સરકારી કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે જ આતંકવાદીઓએ ઘાટીમાં બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે મજૂરોને ગોળી મારી હતી. આ હુમલામાં એક મજૂરનું મોત થયું હતું. અગાઉ દિવસે, આતંકવાદીઓએ ઘાટીમાં એક બેંક કર્મચારીની હત્યા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ મધ્ય કાશ્મીર જિલ્લાના ચદૂરા વિસ્તારમાં સ્થિત ઈંટના ભઠ્ઠામાં કામ કરી રહેલા બે બિન-સ્થાનિક મજૂરો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટના લગભગ રાત્રે ૯.૧૦ વાગ્યે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં દિલકુશ કુમાર અને ગુરી ઘાયલ થયા છે. ગુરીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે ૧૭ વર્ષીય દિલકુશનું જીસ્ૐજી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે દિલકુશ કુમાર બિહારનો રહેવાસી હતો.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા