(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૧
કોરોનાની અસરને કારણે ૨૦૨૦-૨૦૨૧માં દેશના જીડીપીમાં ૬.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઓ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં વાસ્તવિક જીડીપી ૧૪૭.૩૬ લાખ કરોડ રૂપિયા થઈ ગયો જ્યારે એક વર્ષ પહેલા તે ૧૩૫.૫૮ લાખ કરોડ રૂપિયા રહી હતી. પરંતુ માર્ચ ૨૦૨૨માં સમાપ્ત નાણાકીય વર્ષના વૃદ્ધિનો આંકડો એનએસઓના પૂર્વાનુમાનથી ઓછો રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રમાં જીવીએ વૃદ્ધિ ૯.૯ ટકા રહી જ્યારે એક વર્ષ પહેલા તેમાં ૦.૦૬ ટકાનો ઘટાડો થયો હતો. તો ખનન તથા નિર્માણ બંને ક્ષેત્રમાં જીવીએ ૧૧.૫ ટકાના દરે વધ્યો છે. આ બંને ક્ષેત્રમાં એક વર્ષ પહેલાં ઘટાડો થયો હતો. પરંતુ દેશની મોટી વસ્તી સાથે જાેડાયેલ કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૨૦૨૧-૨૦૨૨માં ઘટીને ૩ ટકા રહી ગયો છે, જે એક વર્ષ પહેલાં ૩.૩ ટકા પર હતો.કોરોના કાળ બાદ ભારતીય અર્થવ્યવસ્થાએ ઝડપની ગતિ પકડી લીધી છે. હવે ભારતની ઇકોનોમી દુનિયામાં સૌથી ઝડપી આગળ વધી રહી છે અને વાર્ષિક દર ૮.૭ ટકા સુધી પહોંચી ગયો છે. ભારતીય અર્થવ્યવસ્થાએ ચીન, અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે. વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર મામલામાં ભારતે અનેક દેશોને પછાડી દીધા છે. આ દરમિયાન ચીનની અર્થવ્યવસ્થા ૮.૧ ટકાના દરે આગળ વધી જ્યારે બ્રિટને ૭.૪ ટકાના દરે વૃદ્ધિ મેળવી છે. અમેરિકા (૫.૭%) આ મામલામાં ફ્રાન્સ (૭%) ટકાથી પણ પાછળ રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં ૪.૧ ટકાના દરે વધી છે. તો નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દર ૮.૭ ટકા રહ્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી તરફથી જારી આંકડા પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ૫.૪ ટકા રહ્યો હતો, જ્યારે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ૨.૫ ટકા રહ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૧-૨૦૨ના વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ ૮.૭ ટકા રહ્યો. તેના પહેલાના વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં અર્થવ્યવસ્થામાં ૬.૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. પરંતુ માર્ચ ૨૦૨૨માં ખતમ થયેલા નાણાકીય વર્ષમાં વૃદ્ધિનો આંકડો એનએસઓના પૂર્વાનુમાનથી ઓછો રહ્યો છે. એનએસઓએ પોતાના બીજા આગોતરા અનુમાનમાં ૮.૯ ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા