Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

બેંકોમાં કુલ ડિપોઝિટ ૧૦ લાખ કરોડની પાસે પહોંચ્યોકોરોનાકાળમાં પણ ગુજરાતીઓએ ૧.૭૦ લાખ કરોડની બચત કરી

Share to



(ડી.એન.એસ)અમદાવાદ,તા.૨૪
કોરોનાકાળમાં ગુજરાતીઓએ બચતમાં ૧.૭૦ લાખ કરોડનો વધારો કર્યો છે. રાજ્યની બેન્કોની ડિપોઝિટ્‌સમાં બે વર્ષમાં ૨૨ ટકાનો વધારો થયો છે. અંદાજ મુજબ, આ વર્ષના અંત સુધીમાં રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ ૧૦ લાખ કરોડ થઇ જશે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની મિટિંગમાં આ વિગતો બહાર આવી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડાઓ પ્રમાણે, રાજ્યમાં બેંકની શાખાઓમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાેકે, ડિપોઝિટ્‌સમાં વધારો થયો છે. ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના આંકડાઓ પ્રમાણે, રાજ્યની બેંકોમાં કુલ ડિપોઝિટ ૯.૩૦ લાખ કરોડ છે. માર્ચ, ૨૦૨૧માં ડિપોઝિટનો આંકડો ૮.૮૧ લાખ કરોડ હતો. છેલ્લા ૯ મહિનામાં ડિપોઝિટમાં ૫૦ હજાર કરોડનો વધારો થયો છે. માર્ચ ૨૦૨૦માં ડિપોઝિટ ૭.૬૦ લાખ કરોડ હતી. કોરોનાકાળમાં ૧.૭૦ લાખ કરોડની ડિપોઝિટમાં વધારો થયો છે. આ વર્ષના અંત સુધીમાં રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ ૧૦ લાખ કરોડ થઇ જશે. રાજ્યની બેન્કોની ડિપોઝિટ્‌સમાં કોરોનાકાળમાં જ ૨૨ ટકાનો વધારો થઇ ગયો છે. ૫૬% ડિપોઝિટ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લાઓમાં છે. રાજ્યમાં કોરોનામાં ઘટાડાની સાથે હાઉસિંગ લોનના પ્રમાણમાં પણ વધારો થયો છે. કોરોનાકાળમાં જ રાજ્યમાં ૪.૪૦ લાખ જેટલી હાઉસિંગ લોનની મંજૂરીઓ આપવામાં આવી છે. જેમાં ૫૦ હજાર કરોડની લોન આપવામાં આવી છે. ૨૦૨૧-૨૨ના માર્ચથી ડિસેમ્બર સુધીમાં ૨૬ હજાર કરોડની લોન આપવામાં આવી છે. જેમાં એપ્રિલથી જૂન સુધીમાં ૫૫૭૬ કરોડની લોન સામે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં ૧૧૩૭૮ કરોડની લોન આપવામાં આવી છે. કોરોનાના ૨ વર્ષમાં રૂ. ૩૩૦ના પ્રીમિયમમાં ૨ લાખના જીવન વીમામાં ૧૫ લાખ નવા લોકો જાેડાયા હતા જ્યારે રૂ ૧૨ના પ્રીમિયમમાં ૨ લાખના દુર્ઘટના વીમાની યોજનામાં ૩૭ લાખ લોકો જાેડાયા હતા. જેમાંથી આ જ સમયગાળામાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનામાં ૧૪૯૧૮ ક્લેમ સામે ૧૩૯૯૭ ક્લેમ પાસ કરી આપી દેવામાં આવ્યા છે. ૧૦૨૬ જેટલા ક્લેઇમ રીજેક્ટ કરવામાં આવ્યા છે. અંદાજે ૨૭૯ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાના ક્લેમ ચૂકવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનામાં રૂ. ૩૩૦ના વાર્ષિક પ્રીમિયમની સામે રૂ. ૨ લાખનો જીવન વીમો આપવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ફક્ત રૂ. ૧૨ના વાર્ષિક પ્રીમિયમ રૂ. ૨ લાખનો દુર્ઘટના વીમો આપવામાં આવે છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top