Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ઝઘડીયાના નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં વૃક્ષો કાપી નાંખવા બાબતે વિવાદ….ગ્રામ પંચાયતના સરપંચે પૂર્વ પરવાનગી વિના વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો બે પંચાયત સભ્યોએ આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચે પૂર્વ પરવાનગી વિના વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો બે પંચાયત સભ્યોએ આક્ષેપ કર્યો

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 16-03-22

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામે ગ્રામ પંચાયતના સરપંચે ગોચરની જમીનમાં રહેલા વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો ગ્રામ પંચાયતના બે ચુંટાયેલા સભ્યોએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. નાનાસાંજા ગ્રામ પંચાયતના ચુંટાયેલા બે સભ્યો ભરતભાઇ પટેલ અને કમલેશભાઇ વસાવાએ ઝઘડીયા મામલતદારને લેખિતમાં રજુઆત કરી હતી કે ગામની સર્વે નંબર ૧૬૭ વાળી ગોચરની જમીનમાં બાવળ, લીમડો તેમજ સમડીના કુલ મળીને ૧૪ જેટલા ૨૫ થી ૩૦ વર્ષ જુના વૃક્ષો આવેલા હતા.

આ વૃક્ષોને નાનાસાંજા ગ્રામ પંચાયતના સરપંચ જશવંતભાઇ નટવરભાઇ વસાવા અને સભ્ય રમેશભાઇ છોટુભાઈ વસાવાએ કોઇપણ જાતની પૂર્વ પરવાનગી લીધા વિના તેમજ કોઇપણ સરકારી કચેરીને જાણ કર્યા વિના ગોચરમાં ઉભા રહીને કપાવી નાંખ્યા છે. આ બે પંચાયત સભ્યોએ રજુઆતમાં વધુમાં જણાવ્યુ હતુ કે તેમણે આ બાબતની જાણ ગ્રામ પંચાયતના તલાટીને પણ કરી હતી, છતાં તલાટી દ્વારા કોઇ તપાસ કરવામાં નથી આવી કે તેમના દ્વારા કોઇ ઉપરી અધિકારીને આ બાબતે જાણ કરવામાં નથી આવી. તેથી વૃક્ષો કાપવા બાબતે તલાટી પણ સરપંચ સાથે સામેલ હોય તેવો આક્ષેપ કરાયો છે. ઉપરાંત કાપેલ વૃક્ષો વેચી દેવાયા હોઇ તેના તમામ પૈસાની રીકવરી કરીને યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી હતી. આ રજુઆતની નકલ પ્રાન્ત અધિકારી ઝઘડીયા, તાલુકા વિકાસ અધિકારી ઝઘડીયા, ફોરેસ્ટ અધિકારી ઝઘડીયા તેમજ જિલ્લા કલેક્ટર ભરુચને પણ મોકલવામાં આવી હતી. નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના બે ચુંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા સમગ્ર તાલુકામાં આ બાબતે ચકચાર મચી જવા પામી હતી.


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top