Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ કર્ચામારી મંડળદ્વારા દ્રિતીય સ્નેહ મિલન સમારોહ યોજાયો આ સમારોહમાં લેઉઆ પટેલસમાજના વિશિષ્ટ પ્રતિભાઓશ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીયો, શૈક્ષણિક સંસ્થા નાં ટ્રસ્ટીઓ, તેમજ સ.પ.ક.મ. ના નિવૃત કર્મચારી અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા

Share to





તા. ૧૨-૦૩-૨૦૨૨ નાં રોજ જુનાગઢ ખાતે શ્રી સરદાર પટેલ કર્ચામારી મંડળ આયોજિત દ્રિતીય સ્નેહ મિલન સમારોહ વર્ષ ૨૦૨૧-૨૨ યોજાયેલ, આ કાર્યક્રમ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીયો, શૈક્ષણિક સંસ્થા નાં ટ્રસ્ટીઓ, તેમજ સ.પ.ક.મ. ના આજીવન સભ્ય પદ ધરાવતા કર્મચારી કે અધિકારી નિવૃત થયેલા હોય તેઓના નિવૃત વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ ઉપરાંત લેઉઆ પટેલ સમાજ માં વિશિષ્ટ પ્રતિભાઓ નો સન્માન કાર્યક્રમ ગીરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ. જેમાં અધ્યક્ષ સ્થાને પીજીવીસીએલ વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઈજનેર શ્રી એ. એમ. પાઘડાર સાહેબ તેમજ સમારોહ ના ઉદ્ઘાટક તરીકે ડો. જી. કે. ગજેરા સાહેબ – ટ્રસ્ટી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, શ્રી ગોપાલભાઈ રૂપાપરા – ટ્રસ્ટી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, શ્રી જે. કે. ઠેસીયા – ચેરમેન & મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ, શ્રી કરસનભાઈ ધડુક – પ્રમુખ શ્રી દોમડીયા વાડી જુનાગઢ, ડો. વી. પી. ચોવટીયા – નિવૃત કુલપતિ શ્રી જુ.કુ.યુ. જુનાગઢ, શ્રી લક્ષ્મણ ભાઈ લાખાણી – પ્રમુખ શ્રી કયાડા વાડી જોષીપરા, શ્રી જેન્તીભાઈ વઘાસીયા – ટ્રસ્ટી શ્રી સરદારધામ અમદાવાદ, શ્રી હરસુખભાઈ વઘાસીયા – સમૂહ લગ્ન પ્રણેતા જુનાગઢ, ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત સ.પ.ક.મ. નાં પાયાના પથ્થર એવા ભૂતપૂર્વ પ્રમુખશ્રી ઓ જેવા કે રતિલાલ ડોબરિયા, કુરજીભાઈ ગાજીપરા, પ્રવિણભાઈ ચોથાણી, કૃષ્ણકાંત પટોળીયા, પ્રકાશભાઈ ભંગડીયા વગેરે ને સરદાર પટેલનો સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવેલ. આ ઉપરાંત સમાજ નાં જાણીતા અગ્રણી મહિલાઓ નયનાબેન વઘાસીયા – ખોડલધામ મહિલા કન્વીનર જુનાગઢ તેમજ ભાદ્રાબેન વૈશ્નવ સરદાર ધામ જુનાગઢ જીલ્લાના મહિલા સંયોજક, જયશ્રી બેન રંગોલીયા તેઓનું પણ સન્માન કરવામાં આવેલ. આ ઉપરાંત સમાજ નાં અગ્રણી અમુભાઈ પાનસુરીયા, અમિતભાઈ ઠુમ્મર, પી. પી. વોરા, મનસુખભાઈ પટોળીયા, મહેન્દ્રભાઈ ગોધાણી, કુસુમબેન ભુવા, ઉષાબેન ગોધાણી, વનીતાબેન સુરાણી, મુકેશભાઈ ભંડેરી, પી. એચ. માવાણી સાહેબ – નિવૃત ચીફ ઈજનેર પી.જી.વી.સી.એલ., તેમજ આ પ્રસંગે માત્ર ચાર ધોરણ ભણેલા અને નાના એવા પ્રેમપરા ગામના વતની મથુરભાઈ રીબડીયા કે જેઓની હેતલ આર્ટ ગેલેરી નામની યુટ્યુબ અને ફેસબુક ચેનલ સોશીયલ મીડિયામાં ભારતભરમાં પ્રથમ નંબર ઉપર કામ કરે છે અને જુનાગઢ ખાતે ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રોજગારી પુરી પાડે છે. આ તકે તેઓ દ્વારા ૧૦૦ જેટલા નવા યુવક યુવતીઓને રોજગાર આપવા માટે કટીબધ્ધતા દાખવેલ. આ ઉપરાંત શ્રી લેઉઆ પટેલ સમાજનાં રાજકીય અગ્રણી અને મહાનગર પાલિકા નાં પદાધિકારીઓ એવા સ્ટેન્ડિંગ કમિટી નાં ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, બાંધકામ સમિતિ નાં ચેરમેન શ્રી ધર્મેશભાઈ પોશીયા, સંયોજન સમિતિ નાં અધ્યક્ષ ગોપાલભાઈ રાખોલીયા, કુસુમબેન અકબરી, મંજુલાબેન પરસાણા, ભાવનાબેન હીરપરા, નટુભાઈ પટોળીયા આ તકે ઉપસ્થિત રહેલ.
આ તકે સ.પ.ક.મ. નાં પ્રમુખ શ્રી હરેશભાઈ વઘાસીયા દ્વારા શબ્દોથી સ્વાગત કરી ઉપસ્થિત મહાનુભાવોને આવકારેલ. આ મંડળની કાર્યવાહી વિષે માહિતી આપતા ડો. જી. કે. ગજેરા સાહેબે મંડળ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ જેવીકે આરોગ્યવર્ધક કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, માહિતી કેન્દ્ર, પર્યાવરણલક્ષી વૃક્ષારોપણ સંદેશ આપવાની કામગીરીઓ તેમજ કોરોના કાળ દરમિયાન જરૂરીયાત મંદ પરિવારોને ફુડ પેકેટ વિતરણ કરેલ તેની માહિતી આપેલ અને આ પ્રવૃત્તિ બદલ કર્મચારી મંડળ ને અભિનંદન પાઠવેલ.
આ તકે સ.પ.એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેનશ્રી જે. કે. ઠેશીયા સાહેબ દ્વારા શ્રી સ.પ.ક.મ.ની પ્રવૃતિને બિરદાવેલ તેમજ સાથે સાથે એવો સંદેશ આપેલ કે લેઉઆ પટેલ સમાજનાં ગ્રામ્ય લેવલે જે ખેડુતો તેમજ ગરીબ પરિવારો ને સરકારશ્રી દ્વારા મળતા વિવિધ લાભો મળી શકે તે માટે જન જાગૃતિ અભિયાન માટે સૂચક ટકોર કરેલ.

તેમજ આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા દ્વારા જીવનમાં ભણતરનું મહત્વ સમજાવેલ અને સ.પ.ક.મ.ની પ્રવૃતિને બિરદાવેલ તેમજ આ તકે સમૂહ લગ્નનાં પ્રણેતા શ્રી હરસુખભાઈ વઘાસીયા દ્વારા સમાજમાં ચાલતી બદીઓ ને કઈ રીતે દુર કરવી તે બાબતે સમાજને જાગૃત કરવા માટે કર્મચારી મંડળ ને હાકલ કરેલ. આ તકે મધુરમ કન્સ્ટ્રકશનનાં એમ.ડી. શ્રી જેન્તીભાઈ વઘાસીયા ઉપસ્થિત રહેલ તેઓએ સમાજ ની સંસ્થાઓ ને જે દાનભેટ મળે છે તેનો શૈક્ષણિક તેમજ રોજગારી ક્ષેત્રે સદુપયોગ થાય તે બાબતે ભાર મુકેલ. આ તકે સમારંભ ને સફળ બનાવવા માટે શ્રી સ.પ.ક.મ. ના પ્રમુખ શ્રી હરેશભાઈ વઘાસીયા, ઉપ પ્રમુખ શ્રી સંજયભાઈ અકબરી, શ્રી કિશોરભાઈ ધડુક, શ્રી શૈલેષભાઈ ભુવા, શ્રી બાઘુભાઈ ડોબરિયા, શ્રી જેન્તીભાઈ વસોયા, શ્રી પ્રકાશભાઈ ભંગડીયા, શ્રી અલ્પેશભાઈ વેકરીયા, શ્રી જે. કે. વસોયા, શ્રી પ્રવીણભાઈ ચોથાણી, શ્રી પી. ડી. ગજેરા, શ્રી કપિલભાઈ સુદાણી, શ્રી અરવિંદભાઈ ગજેરા, શ્રી જીગ્નેશભાઈ દુધાત તેમજ સભાડીયા સાહેબ દ્વારા જહેમત ઉઠાવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ દોમડીયા દ્વારા કરેલ અને કાર્યક્રમનાં અંતે પી. ડી. ગજેરા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top